સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ નિગમોના કુલ ૩,૯૯,૨૯૧ લાભાર્થીઓને ₹૫૧૪.૭૧ કરોડની લોન તેમજ સહાયનું ગાંધીનગર ખાતેથી વિતરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કન્યા છાત્રાલય (વઢવાણ)નું ઈ-ખાતમુહૂર્ત પણ સંપન્ન થયું હતું. ત્યારે રાજ્ય સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ થકી અંતિમ છેવાડાના માનવીના જીવનને પણ વધુમાં વધુ સરળ, સહજ અને સમૃદ્ધિમય બનાવવા માટે નિરંતર પ્રયાસરત છે.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, ગણમાન્ય સદસ્યો અને વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.