સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશ્નરની સુચના તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર અર્જુન ચાવડા, એસ.કે. કટારાનાં માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં ભોગાવો નદીમાં ભોગાવો નદીમાંથી ઉપાડીને ડમ્પિંગ સાઇડ ઉપર ખાલી કરવામાં આવ્યો હતો.
હાલ ભોગાવો નદીની દિવસે દિવસે જાળવણી તેમજ સાફ-સફાઈના અભાવે ભોગાવા નદીના દ્રશ્યો બદલાઈ ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા હવે આ ભોગવવા નદીની સ્વચ્છતા અને સુંદરતા સાથે તસવીરો જોવા મળશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ભોગાવો નદી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ અભિયાન અંતર્ગત ચાર જેસીબી અને ચાર ડમ્પર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી દરમિયાન કુલ ૭૫૦ ટન કચરો ભોગાવો નદીમાંથી ઉપાડીને ડમ્પિંગ સાઇડ ઉપર ખાલી કરવામાં આવ્યો હતો. આ કામગીરીની અંદર એસઆઈ સાથે છ સુપરવાઇઝર સેનિટેશન શાખાના રોકાયેલા હતા. આ અભિયાન હાલ ચાલુ રાખવામાં આવેલ હતો.