કોર્પોરેશનની સુચના:વઢવાણમાં લારી ગલ્લાને શાકમાર્કેટ અંદર બેસવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું.

0
સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાવામાં આવ્યા બાદ મુખ્ય માર્ગો પર લારી ગલ્લા સહિતના દૂર કરી કોર્પોરેશન દ્વારા શહેર રસ્તા તેમજ શહેરીજનોની સમસ્યાઓને ધ્યાને લઇ ટ્રાફીકની સમસ્યા પણ હલ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે તાજેતરમાં જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં લારીધારકો માટે વેજીટેબલ માર્કેટ, ફુટ માર્કેટ તથા અન્ય ફેરીયાઓ માટે આગાઉ એક વૈકલ્પિક વ્યવસ્થા અન્વયે શહેરના મુખ્ય માર્ગો ઉપર ધંધો કરતા ફેરીયાઓના ફોર્મ ભરાવીને સર્વે કરી ફેરીયાઓને ધંઘો કરવા માટે જગ્યા ફાળવવા અંગેએ એસએમસી દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો.
ત્યારે શહેરના શિયાણીપોળ  વિસ્તારમાં ભારે ટ્રાફીકની સમસ્યા અવાર-નવાર ફરીયાદો ઉઠતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડે.કમિશનર ચાવડા સહેત અને તેમની ટીમ દ્વારા વઢવાણ શિયાણીપોળ દરવાજાની અંદર રસ્તા પર ભરાતી શાકમાર્કેટને મહાનગરપાલિકાની ઘડપીઠની શાકમાર્કેટ અંદર બેસવા તંત્ર દ્વારા સૂચિત કરવામાં આવી હતી. જયારે શિયાણીપોળ પોર્ગેટ અંદર ટ્રાફિક સમસ્યાને અડચણરૂપ રસ્તા પર લારી ગલ્લાને શાકમાર્કેટ અંદર બેસવાની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે જ તે જગ્યાનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top