વઢવાણ લખતર તાલુકા ખાતેથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૮ ડમ્પરો ઝડપી ૩.૧૦ કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો

0
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તથા લખતર તાલુકા ખાતેથી ઓવરલોડ અને ગેરકાયદેસર ખનીજ વહન કરતા કુલ ૮ ડમ્પરો ઝડપી પાડી અંદાજીત ૩.૧૦ કરોડ નો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ તા,૦૫ માર્ચ ૨૦૨૫ને મંગળવારેના રોજ જીલ્લા કલેકટર સુરેન્દ્રનગરની સુચનાથી વઢવાણ નાયબ કલેકટર નિકુંજકુમાર ધુળા તથા વઢવાણ મામલતદાર, લખતર મામલતદાર તથા નાયબ કલેકટર વઢવાણની ટીમના અનિરૂદ્ધસિંહ ચાવડા, અનિરૂદ્ધસિંહ નકુમ, પ્રતિપાલસિંહ ડોડીયા, સહદેવસિંહ રાઠોડ, દિલીપસિંહ સોલંકી સહિતની સંયુક્ત ટીમ દ્વારા વઢવાણ તથા લખતર તાલુકા ખાતેથી ઓવરલોડ અને ગેરકાયદેસર ખનીજ વહન કરતા કુલ ૮ ડમ્પરો ઝડપી પાડી અંદાજીત ૩.૧૦ કરોડ નો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા ઓચિંતી રેડ કરતા ઓવરલોડ અને ગેરકાયદેસર ખનીજ વહન ફફડાટ વ્યાપી ગયો છે.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top