સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોના પ્રશ્નોને લઇ મ્યુનિસિપલ કમિશનરે વીજળી શાખાના કર્મચારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોર્પોરેશનમાં સમાવવામાં આવેલ નવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ સુવિધા, સ્ટ્રીટ લાઇટ રિપેરિંગની કામગીરી અંગે વિભાગના કર્મચારીઓને સૂચના આપી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બન્યા બાદ આસપાસના ગામો સહિતના નવા વિસ્તારો તેમાં સામેલ કરવામાં આવ્યા છે.ત્યારે આ નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઝડપથી મળી રહે માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન હાથ ધરાયા છે.
જેમાં સ્ટ્રીટ લાઇટના થાંભલાઓનું સર્વે, વીજ ચોરી રોકવી, બંધ હોય તો તાત્કાલિક રિપેરીંગ, ટ્રાફિકને નડતરરૂપ થાંભલાઓનું મેપિંગ ટાઈમર જેવી વ્યવસ્થાનું સ્થાપન કરવાનું પણ જણાવ્યું હતું. જ્યારે મહાનગર પાલિકામાં નવા ઉમેરાયેલ વિસ્તારોમાં પણ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ નાગરિકોને મળી રહે તે બાબતોનું આયોજન કરવાની પણ સૂચના આપતી એક રિવ્યૂ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, નાયબ કમિશનર અર્જુન ચાવડાએ વીજળી શાખાના કર્મચારીઓની ઉપસ્થિત રહ્યા હતા.