સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનાં વેરા વિભાગ દવારા આજરોજ તા.૧૯/૦૩/૨૦૨૫ નાં વેરા વસુલાત તથા મિલકત સીલ કરવા અંગેની જુંબેસ હાથ ધરવામાં આવેલ. તે દરમ્યાન મહાનગરપાલિકા વિસ્તારનાં મોટા બાકીદારો દવારા આજદીન સુધી વેરો ભરપાઇ કરવામાં ન આવતા બાકીદારોની મિલકતને સીલ કરવા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનાં વેરા વિભાગ દવારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
જેમા શહેરના અલંકાર ટોકીઝ રોડ, આંબેડકર નગર પાસે આવેલ "પારસ કોલ્ડ ડેપો" ની બાકી નીકળતી રકમ રૂા.૧૦,૮૪,૭૩૩નો મિલકત વેરો ભરપાઈ ન કરવા બદલ સીલ કરવામાં આવેલ, તદ્ઉપરાંત સીલ કરવાની કામગીરી દરમ્યાન લક્ષ્મણ કડવા એન્ડ સન્સની બાકી નીકળતી રકમ રૂા.૭,૭૯,૩૩૫/-માંથી આજ રોજ રૂા.૭,૭૯,૩૩૫/- ભરપાઇ કરેલ. બાકીની વસુલાતની રકમ મળી આજ રોજ કુલ અંદાજીત રૂા.૩૪.૬૩ લાખ જેટલાં વેરાની વેરા વિભાગ દવારા વસુલાત કરવામાં આવેલ છે.
જ્યારે વધુમાં આગામી દિવસોમાં પણ જે મોટા બાકીદારોએ વેરો ભરપાઇ કરેલ નથી તેઓની મિલકતોને સીલ કરી વેરો વસુલાત કરવાની કાર્યવાહી વેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની એક અખબારી યાદી જણાવાયું છે.