સુરેન્દ્રનગર જીલ્લા પોલીસે જીલ્લામાં અસામાજીક તત્વોના ઘરે ચેકિંગ દરમ્યાન ગેરકાયદેસર વિજ જોડાણ મળી આવતા PGVCLની ટીમ સાથે રાખી કાયદેસરની કાર્યવાહી ધરી હોવાનું સુત્રો પાસેથી વિગત પ્રાપ્ત થઇ છે.જેમાં વાત કરવામાં આવે તો પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા અસામાજીક તત્વોનુ લીસ્ટ તૈયાર કરી તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવતા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડ્યા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી IPSની સુચના અનુસાર અસામાજીક તત્વોના ધરે PGVCLની ટીમ સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરવા ત્રણેય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા થાણા અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવતા તા.૧૯/૦૯/૨૦૨૫ ના રોજ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા PGVCL ની ટીમ સાથે રહી ગેરકાયદેસર વીજ જોડાણના ચેકીંગની કામગીરી દરમ્યાન સુરેન્દ્રનગર જીલ્લામાં નીચે જણાવેલ વિગતે કામગીરી કરવામાં આવેલ છે.