શ્રી વરસાણી પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોને વિદાય સમારંભ યોજવામાં આવ્યો જેમાં આચાર્યશ્રી શાળા પરિવાર તથા એસએમસીના સભ્યોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ 8 ની કન્યાઓ દ્વારા સરસ મજાનું વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું તથા બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી ધોરણ છ થી આઠ ના બાળકો ના ભાવ પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા તથા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને શુભેચ્છા આપવામાં આવી તેમજ શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી એ ડી પટેલ સાહેબ દ્વારા ખૂબ સરસ શિક્ષણનું મહત્વ સમજાવ્યું
તથા તેને લગતા સરસ પ્રેરક પ્રસંગો બાળકોને વર્ણન કરવામાં આવ્યું બધા બાળકોને વોટરબેગ શાળા તરફથી ભેટ આપવામાં આવી તથા બાળકો દ્વારા શાળાને ફોટો ફ્રેમ આપવામાં આવી તમામ બાળકોને સુરુચીભોજન પણ આપવામાં આવ્યું છેલ્લે શાળાના આચાર્ય ચાવડા આલાભાઇ દ્વારા તમામ બાળકોને શુભેચ્છા આપવામાં આવી તથા આભાર વિધિ કરવામાં આવી .શાળાના તમામ પરિવાર દ્વારા આ કાર્યક્રમની સફળ બનાવવામાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
તથા તેને લગતા સરસ પ્રેરક પ્રસંગો બાળકોને વર્ણન કરવામાં આવ્યું બધા બાળકોને વોટરબેગ શાળા તરફથી ભેટ આપવામાં આવી તથા બાળકો દ્વારા શાળાને ફોટો ફ્રેમ આપવામાં આવી તમામ બાળકોને સુરુચીભોજન પણ આપવામાં આવ્યું છેલ્લે શાળાના આચાર્ય ચાવડા આલાભાઇ દ્વારા તમામ બાળકોને શુભેચ્છા આપવામાં આવી તથા આભાર વિધિ કરવામાં આવી .શાળાના તમામ પરિવાર દ્વારા આ કાર્યક્રમની સફળ બનાવવામાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો.