સુરેન્દ્રનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ૨૨ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય છે.
જેથી એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી આવી હતી. આ આંદોલનમાં વિદ્યાર્થી સંગઠનની મુખ્ય માગણી ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની છે. આ ઉપરાં મણત જનજાતિ વિદ્યાર્થીઓ માટે બંધ કરવામાં આવેલી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ૨૨ કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જેથી એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી આવી હતી. આ આંદોલનમાં વિદ્યાર્થી સંગઠનની મુખ્ય માગણી ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની છે. આ ઉપરાં મણત જનજાતિ વિદ્યાર્થીઓ માટે બંધ કરવામાં આવેલી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ૨૨ કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.