સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કર્મચારી એન્જિનિયરે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. એન્જિનિયરે દુધરેજીયાએ સવારે શહેરમાં દબાણ હટાવ કામગીરીમાં ભાગ લીધા બાદ આ પગલું ભર્યું હતું.! ત્યારે આત્મહત્યાના સમાચાર ફેલાતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.આ બનાવની માહિતી અનુસાર કોઈ અગમ્ય કારણે નીલેશ દુધરેજીયા નામના સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયરે જોરાવરનગર રેલવે સ્ટેશન પર પસાર થઈ રહેલી ટ્રેન નીચે પડતું મુકતા મોત નિપજ્યું હતું. ત્યારે ઘટનાની જાણ રેલ્વેના અધિકારીઓ અને પોલીસને થતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી એન્જિનિયર દુધરેજીયાએ મોતને વહાલું કેમ કર્યું? તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ તેમના પરિવારજ સહિત સહકર્મચારીઓની પૂછપરછ પણ કરી રહી છે. તેમ જાણવા મળ્યું હતું.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.