સમગ્ર શિક્ષા અભિયાન અને GCRT ગાંધીનગર સંચાલિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરેન્દ્રનગર આયોજિત 10મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર તા.10,11,12 ફેબ્રુઆરી 2025ના રોજ સુરેન્દ્રનગરના ત્રી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો..આ ઇનોવેશન ફેરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલાના શિક્ષક વારિસભાઈ ભટ્ટા દ્વારા પોતાની ઇનોવેટિવ કૃતિ-"સંદર્ભ સાહિત્યનો સેતુ" રજુ કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં આવતા સંદર્ભોથી પરિચિત બને ,અભ્યાસક્રમ સિવાયનું વાંચન કરતા થાય એ આ નવતર પ્રયોગનો આશય હતો કે જેના દ્વારા બાળકો વાંચતાં, વિચારતા અને મૌલિક લેખન કરતા થાય.."સંદર્ભ સાહિત્યનો સેતુ"નવતર પ્રયોગની જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝા સાહેબ ઇ.આઈ.બારોટ સાહેબ,જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા સાહેબ,ડાયેટ પ્રાચાર્ય ટૂંડિયા સાહેબ,ઇનોવેશન સેલ કો ઓર્ડીનેટર કોમલબેન,પદ્મશ્રી મુકતાબેન ડગલી તેમજ વિવિધ તાલુકાના બી.આર.સી. તેમજ સી.આર.સી તેમજ જિલ્લાની વિવિધ શાળાના શિક્ષકો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.આમ,10માં એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં વારીસભાઈ ભટ્ટા દ્વારા પોતાનું ઇનોવેશન સંદર્ભ સાહિત્યનો સેતુ પ્રસ્તુત કર્યું હતું.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.