સુરેન્દ્રનગર જિલ્લામાં એક્ષસ્પાયર થયેલ મીઠાનો જથ્થો નિકાલ કરવા અંગે

0
ઈચ્છુક વ્યક્તિઓએ દિન – ૦૭ માં કચેરી ખાતે રૂબરૂ/પોસ્ટ/
કુરીયર દ્વારા મોકલી આપવાના રહેશે
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. હસ્તકનાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા અને સુરેન્દ્રનગર સીટી ગોડાઉન ખાતેનાં એક્ષસ્પાયર થયેલ મીઠાનો જથ્થો લાયસન્સ/બોનાફાઈડ સર્ટીફીકેટ ધરાવતી પાર્ટીને જાહેર હરાજીથી નિકાલ કરવા અરજી મંગાવવામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા ૧.૪૪૦ M), લખતર ૦.૪૪૦ MT, લીંબડી ૧.૨૪૦ MT, મુળી ૩.૮૦૦ MT, સાયલા ૦.૪૬૦ MT અને સુરેન્દ્રનગર સીટી ગોડાઉન ૩.૭૪૦ MT ખાતે એક્ષસ્પાયર થયેલ મીઠાનો કુલ ૧૧.૧૨૦ MT જથ્થો, જે માનવ વપરાશમાં ખાવાલાયક ન હોય, ફક્ત લાયસન્સ/બોનાફાઈડ સર્ટીફીકેટ ધરાવતી ઈચ્છુક પાર્ટીઓએ પોતાના લેટરપેડ પર સીલબંધ કવરમાં જિલ્લા પુરવઠા મામલતદારની કચેરી, ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી .ટી.વી. સ્ટેશનની સામે, સર્વે ભુવનની બાજુમાં, સુરેન્દ્રનગરનાં સરનામે પ્રતિ કી.ગ્રા.ના રૂ.૦૫/- બેઈઝ ભાવ મુજબ આપી તેમજ સદર જથ્થો અન્ય વપરાશ (માનવ વપરાશ સિવાય) માટે ઉપયોગમાં લેવામાં આવશે. સોંગદનામા સાથે લાયસન્સ/બોનાફાઈડ સર્ટીફીકેટ નકલ સાથે અખબાર યાદી પ્રસિદ્ધ થયાથી દિન-૦૭ માં મળી રહે તે રીતે રૂબરૂ/પોસ્ટ/કુરીયર દ્વારા મોકલવાના રહેશે. તેમજ સદર જથ્થો સ્વ-ખર્ચે ઉપાડ કરવાનો રહેશે. તેમ નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨), ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top