પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય અને વાહન અધિકૃત કરાવ્યા સિવાય વાહનનો ઉપયોગ કરી શકાશે નહીં
૦૦૦૦૦
વાહન પર સ્પષ્ટ રીતે દેખાય તે પ્રમાણે વિગતો સાથેની પરમિટ લગાડવી ફરજિયાત રહેશે
૦૦૦૦૦
સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકા સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અને તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવાર/રાજકીય પક્ષો/ઉમેદવારના કાર્યકરો દ્વારા વાહનોના ઉપયોગ સંબંધે જરૂરી નિયમનો મૂકતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે.ઓઝા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર, ચૂંટણીઓના સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારશ્રીની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય અને વાહન અધિકૃત કરાવ્યા સિવાય વાહનોનો ઉપયોગ કરી શકશે નહી. જે વાહનો અધિકૃત કરવામાં આવેલ હોય તેની પરવાનગીની ફરજીયાત અસલ પ્રત અધિકૃત કરેલ વાહન પર ફરજીયાત લગાડવાની રહેશે. પરવાનગીની ઝેરોક્ષ નકલ ચોંટાડવાની રહેશે નહી. વાહન અધિકૃત થયા અંગેની પરમીટ વાહન પર દુરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમીટની અંદર વાહનના નંબર અને ઉમેદવારનું નામ ફરજીયાત દર્શાવવાનું રહેશે.
આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ – ૨૧૫ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પુરી થવાની તા.૨૧/૦૨/૨૦૨૫ અને ૨૪:૦૦ કલાક સુધીના સમય માટે અમલમાં રહેશે.