શ્રી સંતરામ મંદિરના ૧૯૪ માં સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ

0
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ
શ્રી સંતરામ મંદીરના ૧૯૪માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે સહભાગી બન્યા હતા. આ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં વિશેષ હાજરી આપી હતી. 
શ્રી સંતરામ સમાધિસ્થાન દ્વારા શ્રી સંતરામ મહારાજના ૧૯૪ માં સમાધિ મહોત્સવ પ્રસંગે તથા બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજને સમાધિના ૨૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે નડિયાદ પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તા. ૬૭ અને ૮ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે.. જેનો આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા સંતરામ મંદિરના ગાદીપતિ પૂ.રામદાસજી મહારાજ સહીત અન્ય મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ સૌએ કથાકાર પૂજ્ય શ્રી મોરારી બાપુની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. 
 આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, કથાકાર પૂ. જીગ્નેશ દાદા, પૂ. ચૈતન્ય દાસ મહારાજ, પૂ. નિર્ગુણ દાસજી મહારાજ, અગ્રણી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહીત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top