કલેકટર કચેરી, સભાખંડ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ

0
નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાની પ્રેરક ઉપસ્થિતિ:મહાનગરપાલિકાના લોગોમાં અજરામર ટાવર, હવા મહેલ, મહાવીર સ્વામીના પગલાંનો સમાવેશ

કલેકટર કચેરી સભાખંડ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હાણે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના આ લોગોમાં સુરેન્દ્રનગર શહેરની ઓળખ સમી તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોગોમાં અજરામર ટાવર, વઢવાણનો હવામહેલ, મહાવીર સ્વામીના પગલાં, વડવાળા મંદિરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત આ લોગો બનાવવા માટે શહેરના લોકો પાસેથી ડિઝાઈન્સ પણ મંગાવવામાં આવી હતી. સરકારશ્રીની વિવિધ યોજનાઓના સફળ અમલીકરણના કારણે જિલ્લાના વિકાસને નવી દિશા અને વેગ મળ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લો વિકાસના ઉચ્ચતમ શિખરે પહોંચશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સર્વેશ્રી વર્ષાબેન દોશી, ધનરાજભાઈ કેલા, ધનજીભાઈ પટેલ, અગ્રણી સર્વશ્રી દેવાંગભાઈ રાવલ, મહેન્દ્રભાઈ પટેલ, જીજ્ઞાબેન પંડ્યા, વિરેન્દ્ર આચાર્ય, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુન ચાવડા, એસ.કે.કટારા, પ્રાંત અધિકારીશ્રી સર્વેશ્રી નિકુંજ ધુળા, મિલન રાવ, હરેશ મકવાણા, કુલદીપ દેસાઈ, હર્ષદીપ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top