ચોટીલામાં -નાયબ કલેક્ટરના ચેકિંગમાં પેટ્રોલ પંપ પર ગેરરીતિઓ તપાસમાં સામે આવતા તાત્કાલિક સીલ કરાયુ

0
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના નાયબ કલેકટર તથા તેમની ટીમ દ્વારા સ્થળોની ઓચિંતા દરોડો પાડી નિરક્ષણ કરવામાં આવી રહયુ છે. ત્યારે તાજેતરમાં ચોટીલામાં નાયબ કલેકટર એચ.ટી.મકવાણા તથા તેમની ટીમે ચોટીલામાં આવેલ બીપીસીએલ સંચાલિત અજમેરા પેટ્રોલિયમ પર દરોડો પાડ્યો હતો. ત્યારે આ દરોડા દરમિયાન પેટ્રોલ પંપના નોઝલ નંબર 2/2માં પ લીટરના સરકારી માપથી ચકાસણી કરતા ૩૫ મિલી પેટ્રોલ ઓછું માપ મળી આવ્યું હોવાનુ તપાસમાં જોવા મળ્યુ હતું.
ત્યારે આવી ગેરરીતિને ધ્યાને લઇ નાયબ કલેકટરે તાત્કાલિક ધોરણે નોઝલને સીલ કરી વેચાણ બંધ કરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહયા છે. તેમજ નિયમ મુજબ આઉટલેટ નંબર 2/2 પરનો પેટ્રોલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
જયારે નાયબ કલેકટરના આ દરોડાના તપાસ દરમિયાન પેટ્રોલ પંપ પર અગ્નિશામકનો સ્કેલ OSID-117નું પ્રમાણપત્ર, ટાંકી પરીક્ષણનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું પ્રમાણપત્ર રજૂ કરી શક્યાની ગંભીર ક્ષતિઓ પણ બહાર આવી હતી. પેટ્રોલ પંપની આઉટલેટમાં ડેન્સિટીના આંકડાની ડિસ્પ્લે બંધ હાલતમાં મળી આવી તેમજ ડેન્સિટી રજિસ્ટર તારીખ 27/2/2024થી આગળના ચાર દિવસ સુધી નિભાવવામાં આવ્યું ન હતું તપાસમાં સામે આવ્યુ હતું. ત્યારે ગેરરીતિઓને ધ્યાનમાં લઈને પેટ્રોલ પંપના માલિક પરીનભાઈ અજમેરા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની સુત્રો જણાવી રહયા છે. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top