વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન રાજકોટ દ્વારા કો.ઉમવરામલ પુરોહિત સાહેબની ૧૧મી પુણ્યતિથિ નિમિતે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે યોજાયેલ કેમ્પનું ઉદ્ઘાટન અશ્વિની કુમાર (DRM), કે.કે સૈની(ADRM) સહીતનાઓએ કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ડિવિઝનના તમામ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ કેમ્પમાં રેલવે કર્મચારીઓ સહીત તેમના પરિવાર સભ્યોએ રક્ત દાન કર્યું હતું. આ રક્ત દાન શિબિરમાં રાજકોટ તેમજ સુરેન્દ્રનગરમાં અંદાજે ૨૦૦ બોટલથી વધુનું રક્તદાન એકત્ર કરાયુ હતું. આ રક્ત દાન શિબિરમાં રાજકોટ વોલેન્ટ્રી બ્લડ બેન્ક અને સી.યુ.શાહ મેડિકલ કોલેજ બ્લડ બેન્ક સુરેન્દ્રનગર તેમજ ગોવિંદભાઈ ગમારાએ કેમ્પમાં સહયોગ આપ્યો હતો.
આ રક્તદાન શિબિરની સફળતા બદલ નિખિલ જોશી, જીતેન્દ્ર સતાપરા, મયુર ગઢવી, ઘનશ્યામસિંહ જાડેજા સહીતના કર્મચારીઓ, પરીવારના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ રક્ત દાતાઓને WREU તેમજ ડી.વી.શાહ તથા S S WHITE કંપની તરફથી આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં રેલવે કર્મચારીઓ સહીત તેમના પરિવાર સભ્યોએ રક્ત દાન કર્યું હતું. આ રક્ત દાન શિબિરમાં રાજકોટ તેમજ સુરેન્દ્રનગરમાં અંદાજે ૨૦૦ બોટલથી વધુનું રક્તદાન એકત્ર કરાયુ હતું. આ રક્ત દાન શિબિરમાં રાજકોટ વોલેન્ટ્રી બ્લડ બેન્ક અને સી.યુ.શાહ મેડિકલ કોલેજ બ્લડ બેન્ક સુરેન્દ્રનગર તેમજ ગોવિંદભાઈ ગમારાએ કેમ્પમાં સહયોગ આપ્યો હતો.
આ રક્તદાન શિબિરની સફળતા બદલ નિખિલ જોશી, જીતેન્દ્ર સતાપરા, મયુર ગઢવી, ઘનશ્યામસિંહ જાડેજા સહીતના કર્મચારીઓ, પરીવારના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ રક્ત દાતાઓને WREU તેમજ ડી.વી.શાહ તથા S S WHITE કંપની તરફથી આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવી હતી.