સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટરશ્રી ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી, સભાખંડ ખાતે મળી હતી.
જેમાં પદાધિકારીઓ સાથેની બેઠકમાં ધારાસભ્યશ્રીઓ તરફથી કોઈ પ્રશ્ન રજૂ થયેલા ન હોવાથી ગત બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અન્વયે કરવામાં આવેલી કાર્યવાહી અંગે કલેકટરશ્રીએ સંબધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. સંકલન અધિકારીઓ સાથેની બેઠકમાં બાકી પેન્શન કેસ, પડતર બીલો, કચેરીઓમાં આવતી તકેદારી આયોગની અરજી, એ.જી.ઓડિટનાં બાકી પારા, સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
તદુપરાંત, સંકલન અધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નો સંદર્ભે જે તે સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપતા નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી હતી. તેમજ બાકી પેન્શન કેસ, તાબા હેઠળની કચેરીઓનું નિરીક્ષણ, પડતર બીલો, કચેરીઓમાં આવતી તકેદારી આયોગની અરજી, એ.જી.ઓડિટનાં બાકી પારા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વહીવટ તંત્રને વધુ અસરકારક, જવાબદાર તથા પારદર્શી બનાવવાના હેતુથી દર મહીને જિલ્લામાં કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળે છે. આ સમિતિમાં જિલ્લાની આમ જનતાને સ્પર્શતા સ્થાનિક પ્રશ્નો તથા ફરિયાદોના નિકાલની ચર્ચા સંબંધિત જિલ્લા અધિકારીઓ તથા જિલ્લાના લોક પ્રતિનિધિઓની હાજરીમાં થાય છે અને નિરાકરણ લાવવામાં આવે છે.
આ બેઠકમાં પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે. એસ. યાજ્ઞિક, નિવાસી અધિક કલેકટર શ્રી આર. કે. ઓઝા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ. જી. ગજ્જર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર. એમ. જાલંધરા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એસ. કે. અટારા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, સર્વે મામલતદારશ્રીઓ, સર્વે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.