સુરેન્દ્રનગરના વઢવાણ-કેરાળા ભોગાવામાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ખનીજ માફીયાઓ પર તંત્રની કાર્યવાહી

0
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવતા તંત્ર દ્વારા આચિતુ ચેકીંગ હાથ ધરી દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર કલેકટર  સુચનાથી વઢવાણ નાયબ કલેકટર તથા તેમની ટીમ દ્વારા વઢવાણના કેરાળા વિસ્તારમાં કુલ રૂપિયા ત્રણ કરોડ વીસ લાખનો મુદ્દામાલ સીઝ કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર કલેકટર  સુચનાથી વઢવાણ નાયબ કલેકટર નિકુંજકુમાર ધુળા તથા વઢવાણ મામલતદાર પી.એમ.અટારા તેમજ અનિરૂદ્ધસિંહ ચાવડા, અનિરુદ્ધસિંહ નકુમ પ્રતિપાલસિંહ ડોડીયા ચેતનભાઈ કણઝરીયા મહાદેવભાઇ નાકીયા સહિતની ટીમ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી કરતા ૨-હીટાચી મશીન તથા ૪- ડમ્પરો તેમજ ૨- ટ્રક ઝડપી પાડી  કુલ રૂપિયા ત્રણ કરોડ વીસ લાખનો મુદ્દામાલ સીઝ કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top