સુરેન્દ્રનગર સર્વેલન્સ ટીમે નેત્રમની મદદથી ૪ કીલોના દાગીના ભરેલ થેલો પોલીસ સ્ટેશન બોલાવી જે તે હાલતમાં પરત સોંપ્યો

0
સુરેન્દ્રનગર સીટી એ. ડીવી. પોલીસ સર્વેલન્સ ટીમે નેત્રમની મદદથી ભરતભાઈ સોનીનો ચાંદીના આશરે ૪ કીલોના દાગીના ભરેલ થેલો સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ખાતે બોલાવી ચાંદીના દાગીના ભરેલ થેલો જે તે હાલતમાં પરત સોંપી માનવતાની એક મિશાલ કાયમ કરી પોલીસ ખરા અર્થમા પબ્લિકની મિત્ર હોવા નુ ઉતમ ઉદાહરણ પુરુ પાડેલ હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો.ગીરીશ પંડયા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ પણ ચકચારી બનાવ બને કે કોઇ રાહદારી માણસોની કિંમતી ચિજવસ્તુઓ ખોવાય જાય તો તાત્કાલીક કમાન્ડ કન્ટ્રોલ રૂમ (નેત્રમ) સુરેન્દ્રનગર ખાતે જઇ બનાવ જગ્યાના સી.સી.ટી.વી. કેમેરા જોઇ પરીણામલક્ષી કામગીરી કરવા નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા સુરેન્દ્રનગર ડીવીઝન નાઓએ સુરેદ્રનગર સીટી એ ડીવી પો.સ્ટે ના પો.ઇન્સ આર.એમ.સંગાડા નાઓને સૂચના આપેલ હતી.
ત્યારે તા. ૧૫/૦૨/૨૦૨૫ ના બપોરના આશરે દોઢેક વાગ્યાના અરસામાં ભરતભાઇ સોની રહે અમદાવાદ વાળા તેઓના માણસો સાથે સુનગર ખાતે સોના ચાંદીના દાગીના થેલા લઈ સુરેંદ્રનગર ખાતે આવેલ અલગ અલગ સોનીની દુકાને વેપાર અર્થે ગયેલ હતા અને વેપાર કરી સુ.નગર થી અમદાવાદ જવા રવાના થયેલ અને અમદાવાદ પહોંચતા પડેલ કે સુ.નગર ખાતે આવેલ મહેતા જ્વેર્લસ નામની દુકાન પાસે આવેલ કોમ્પ્લેક્ષની બહાર આશરે ચાર કીલો ચાંદીના દાગીના ભરેલ એક સફેદ કલરનો પ્લાસ્ટીકનો થેલો ત્યા ભુલાઈ ગયેલ છે જેથી તેઓએ તાત્કાલિક તેઓના સબંધી નંદલાલભાઈ પરમાર રહે.વઢવાણ વાળાને સુરેન્દ્રનગર સીટી એ ડીવી પો.સ્ટે મોકલી સદર બનાવની જાણ કરેલ હતી.
જેથી પોલીસ ઇન્સ્પેકટર આર.એમ. સંગાડા સુરેન્દ્રનગર સીટી એ ડીવી પો.સ્ટે.નાઓએ બનાવ અનુસંધાને તુરતજ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફને બોલાવી અલગ અલગ ટીમો બનાવી એક ટીમને કમાન્ડ કન્ટ્રોલ રૂમ (નેત્રમ) સુરેન્દ્રનગર ખાતે સી.સી.ટી.વી. ફુટેજ જોવા મોકલી આપતા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. એમ.એમ.ઉતેળીયા તથા પોલીસ હેડ કોન્સ મહાવીરસિંહ વજેસંગભાઈ બારડ નાઓએ સદર બનાવની જગ્યા આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજ જોઇ સદરહુ ચાંદીના દાગીના ભરેલ થેલો શોધી કાઢી આ કામના મુળ માલીક/અરજદાર ભરતભાઇ સોની રહે,અમદાવાદ વાળાને સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ખાતે બોલાવી ચાંદીના દાગીના ભરેલ થેલો જેમાં આશરે ૦૪ કિલો ચાંદીના અલગ અલગ ઘરેણા કિ.રૂ.૪૦૦૦૦૦ જે તે હાલતમાં પરત સોંપી માનવતાની એક મિશાલ કાયમ કરી પોલીસ ખરા અર્થમા પબ્લિકની મિત્ર હોવા નુ ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ હતું. 
આ કામગીરીમાં (૧) શ્રી આર.એમ.સંગાડા પોલીસ ઇન્સ, સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે (૨) શ્રી એચ.એસ. જાડેજા પો.સબ.ઈન્સ સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે (૩) મુકેશભાઈ મનુભાઈ ઉતેળીયા એ.એસ.આઇ સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે (૪) મહાવીરસિંહ વજેસંગભાઈ બારડ પો.હેડ.કોન્સ સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે (૫) મનસુખભાઇ માનસંગભાઇ જમોડ પો.કોન્સ સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે (૬) અંકીતભાઇ ભુપતભાઇ સાકરીયા પો.કોન્સ સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે સહિતના અધિકારી/કર્મચારી રોકાયેલ હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top