સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, જીલ્લાનો આમ નાગરીક કોઇપણ ભય વગર મુક્ત મને જીજીંદગી જીવી શકે તે માટે ગુનાહીત પ્રવૃત્તિ તાબુદ કરવા માટેની સુરેન્દ્રનગર મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડ્યા( IPS)ની સુચના અને માર્ગદર્શનથી આમ નાગરીકને બહાર લાવવા માટે અવાર નવાર સામાજીક લેવલે તથા વિધાર્થીઓને જરૂરી માર્ગદરશન મળી રહે તે માટે ટ્રાફીક તથા પ્રોહિબીશન, નાર્કોટીક્સ ડ્રગ્સના સેવનથી સામાજીક, આર્થીક, શારીરીક જે નુકશાની થાય છે.જેના અનુસંધાને તા. ૩૧ જાન્યુઆરી-૨૦૨૫ના રોજ સુરેન્દ્રનગર એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે સુરેન્દ્રનગર એસ.ઓ.જી.દ્વારા NDPS ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ જે કાર્યક્રમમાં એસ.ઓ.જી. પીએસઆઇ એન.એચ. ચુડાસમા તથા એસઓજી સ્ટાફ તથા એમ.પી.શાહ કોમર્સ કોલેજ ના પ્રિન્સિપાલ ડો.દિલીપકુમાર વજાણી તથા ડો.વિશાલ દવે તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ તકે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને નારકોટીક્સના વ્યસનથી દુર રહેવા અને નાર્કોટીક્સનું વેચાણ, સંગ્રહ, હેરાફેરી (Transports), વાવેતર નાર્કોટિક્સના વેચાણ થતા હોઇ તેવી જગ્યાઓ (ક્લસ્ટર), હોટસ્પોટથી દુર રહેવા જણાવ્યું હતું. જ્યારે તેઓ યેનકેન પ્રકારે શરૂઆતમાં લોભ, લાલચ, પ્રલોભન આપે તો તેનાથી દુરી બનાવી તથા સોશિયલ મિડીયા (વોટ્સએપ, ઇન્ટાગ્રામ, ફેસબુક, યુ ટ્યુબ) વિગેરે ડિઝીટલ ઓનલાઇનના માધ્યમથી પ્રત્યક્ષ,પરોક્ષ આવા પ્રકારની પ્રવૃતિ કરતા પેડલર્સ કાર્યરત હોય છે. તેનાથી જાગૃત રહી દુરી બનાવવી પોલીસનું ધ્યાન દોરવું વિગેરે બાબતે વિધાર્થીઓને જરૂરી સુચના માર્ગદર્શન આપવામા આવેલ છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.