સુરેન્દ્રનગર ડેપો ડ્રાઇવર કમ કંડકટર તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ જામભા પરમાર જેઓ સુરેન્દ્રનગર અમદાવાદ રૂટ ઉપર ફરજ બજાવતા હતા. તેઓએ ખાતાકીય પરીક્ષા આપી એટીઆઈ તરીકે નિમણૂક થવા પામી હતી. તેઓ રાજકોટ ખાતે થોડા સમયથી નિમણૂક થયા બાદ તા.૨ ફેબ્રુઆરી-૨૫ને રવિવારે સુરેન્દ્રનગર ડેપો ખાતે હાજર થયા એટીઆઈ કિશોરસિંહ પરમારને એટીઆઇ સંદીપસિંહ રાણા દ્વારા નિમણુક લેટર આપી આવકારવામાં આવ્યા હતા.
આ તકે મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર ડેપોના કર્મચારીઓ હાજર ઉપસ્થિતમા કર્મચારી મિત્રો દ્વારા હાર તોરણ કરી નવા હાજર થયેલા એટીઆઈ કિશોરસિંહ પરમારને આવકારી ખુશી વ્યક્ત કરી હતી.