રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ-૨૦૨૪:રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા તા.૨૪ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે

0
દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વિવિધ કેટેગરીમાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો આપવામા આવે છે. આ સ્પર્ધા માટે શારિરીક રીતે ૪0% કે તેથી વધારે ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતા તથા દિવ્યાંગ વ્યક્તિઓને કામગીરી પૂરી પડતા પ્લેસમેન્ટ ઓફિસર્સ પાસેથી નિયત નમૂનામાં અરજીઓ સાધનિક દસ્તાવેજો સાથે કરી શકે છે.
દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in અથવા જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર ખાતેથી પણ વિનામૂલ્યે મળી રહેશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવાનાં રહેશે. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફીસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની સંપૂર્ણ વિગતો જણાવવાની રહેશે તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવાનાં રહેશે.
પારીતોષિક માટેના નિયત અરજીપત્રકો જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર ખાતે તા.૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી રહે તે રીતે મોકલી આપવાના રહેશે. અધૂરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી. વધુ માહિતી માટે સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગરનો સંપર્ક કરવા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top