સુરેન્દ્રનગર કોર્પોરેશનમા ખેરાળી, ખમીસાણા, માળોદ, મુળચંદ, ચમારજ સહીતના ગામોને સમાવેશ કરવામાં આવ્યા છે. ત્યારે રજુઆતોને ધ્યાનમા લઈ સુરેન્દ્રનગર કોર્પોરેશન કમિશનરે માળોદ ગામની મુલાકાત લીધી હતી. સુરેન્દ્રનગર કોર્પોરેશન કમિશનરે માળોદના લોકોને મળી તેઓની રજુઆતો સાંભળી ગામમા આવેલ શાળાની મુલાકાત લીધી હતી.
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા જાહેર થતાં પાંચ ગામોનો પણ મહાનગરપાલિકામા મર્દ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુરેન્દ્રનગર શહેરને મળતી સુવિધાઓ આ ગામોને મળે તે અર્થે ગામોના તાગ મેળવવા માટે કમિશનર નવનાથ ગવ્હાણે તેમજ ડે. કમિશનર અર્જુન ચાવડાએ માળોદ ગામની મુલાકાત લીધી હતી.
આ તકે ગામ લોકોને પડતી સમસ્યામા લોકોએ વિવિધ દાખલાઓ ગામમાં જ દાખલાઓ નીકળે તેની વ્યવસ્થા કરવી, ગામડાંમાં કચરો નિકાલની વ્યવસ્થા કરવાના સંદર્ભમાં અધિકારીએ ડોર ટુ ડોર વાહનને ગામડે રેગ્યુલર કચરો લેવા મોકલવા સૂચના આપી હતી.