ગુજરાત રાજયના ગૃહ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયા પણ હવે ડેપ્યુટી ઈન્સપેકટર જનરલ બન્યા છે. ત્યારે રાજય પોલીસ વિભાગ દ્વારા તા. ૩૦મીના રોજ ASI માંથી PIS તરીકે બઢતી સાથે બદલી અપાયેલ કર્મચારીઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૬ પોલીસ કર્મીઓનો સમાવેશ કરાયો હતો. ત્યારે તા. ૩૧ ડીસેમ્બર-૨૦૨૪ના રોજ વધુ ૫૯ ASI ને PIS તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ પોલીસ કર્મીઓને સમાવેશ કરાયો છે.જેમાં સુરેન્દ્રનગરના ગણેશભાઈ બાલાભાઈ પરમારને ભાવનગર, હીતેશકુમાર રામજીભાઈ માંડાણીને બનાસકાંઠા, દિગ્વીજયસીંહ નરવીરસીંહ જાડેજાને ભાવનગર, રાઘવેન્દ્રસીંહ પરાક્રમસીંહ ગોહીલને જુનાગઢ, પ્રહલાદભાઈ હીરાભાઈ પઢેરીયાને રાજકોટ સિટી, ભુપેન્દ્ર જીણાભાઈ ગોલતરને બનાસકાંઠા, ધનજીભાઈ ખેમજીભાઈ ઝેઝરીયાને જુનાગઢ, નંદલાલ ગીરધરલાલ સાપરાને અમરેલી, હરદેવસીંહ વાઘજીભાઈ મકવાણાને બનાસકાંઠા, મનસુખભાઈ રાજાભાઈ રાજપરાને ભાવનગર, પ્રવીણભાઈ ગોવિંદભાઈ આલને રાજકોટ સીટી, જુવાનસંગ મનુભાઈ સોલંકીને અમદાવાદ સીટી, નીકુલસીંહ ભુપતસીંહ ઝાલાને રાજકોટ રૂરલ, ચંદુભાઈ પ્રભુભાઈ બાવળીયાને પશ્ચીમ રેલવે, અમદાવાદ મુકાયા છે.જ્યારે ગીર સોમનાથ જિલ્લાના દિલીપકુમાર અશોકભાઈ સાંખટને સુરેન્દ્રનગર જિલ્લામાં પોસ્ટીંગ અપાયાનુ સુત્રો જણાવી રહ્યા છે. આ તકે સુરેન્દ્રનગર જિલ્લા વડા કચેરી ખાતે બઢતી મળતા તેઓના પરીવારની હાજરીમાં 'પિપિંગ સમારોહ'' યોજી અભિનંદન પાઠવવામાં આવેલ હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.