કટુડાની શ્રીમતી એસ.એસ. શાહ વિધાલયના માધ્યમિક શિક્ષકનો વય નિવૃત્તિ સ્મારંભ યોજાયો

0
શ્રી કટુડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસ. એસ. શાહ વિદ્યાલય કટુડા ખાતે છેલ્લા ૨૭ વર્ષોથી ગણિત વિજ્ઞાનના માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશકુમાર રસિકલાલ દવે તા.૩૧ ડીસેમ્બર-૨૦૨૪ના રોજ વય નિવૃતનો વિદાય સમારંભ યોજાયો હતો. આ તકે ટ્રસ્ટ તથા હાઈસ્કુલ તરફથી મોમેન્ટો ગિફ્ટ સાલ શ્રીફળ પડો અર્પણ કરી વિદાય આપવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક સંઘના યોગેન્દ્રસિંહ ઝાલા, છોટુભા જાડેજા, વનરાજભાઈ પટેલ તથા ભૂતપૂર્વ શિક્ષક ગણો સહિત ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી હિતેશકુમારનું સન્માન કરવામાં આવેલ હતું.
ત્યારે ઉલ્લેખનીય છે કે શિક્ષક હિતેશકુમાર નિવૃત્ત સમયે 
જન્મ દિવસ પણ હોય વિદ્યાર્થીનીઓ દ્વારા કેક કાપી ગિફ્ટ આપી જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. 
જ્યારે ટ્રસ્ટ તથા ગ્રામજનોએ નિવૃત્ત થયા હિતેશકુમાર દવેની ૨૭ વર્ષની ગણિત વિજ્ઞાન વિષયોનુ કટુડા તથા આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને ખૂબ જ સારૂ શિક્ષણ આપી ઉજવળ ભવિષ્ય બનાવેલ જે બદલ હિતેશકુમાર દવેનો સર્વેએ આભાર વ્યક્ત કર્યો હતો સાથે હિતેશકુમાર દવે દ્વારા પણ કટુડા મારૂ છે આ મારી કર્મભૂમિ છે જેનો હું હંમેશા રૂણી રહીશ અને મારાથી થાય એટલી સેવા શિક્ષણ કાર્ય થકી આપતો રહીશ તેવી લાગણી વ્યક્ત કરી હતી. 
આ કાર્યક્રમ સફળ બનાવવામાં મંડળના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ રાવલ, મંત્રી દિલીપસિંહ ઝાલા, આચાર્ય ગજેન્દ્રસિંહ ઝાલા તથા શિક્ષકગણ અને વહીવટી સ્ટાફ સહિત ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવેલ
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top