સુરેન્દ્રનગર જિલ્લાના મુળી લાલજી મહારાજની જગ્યામાં તા.૨ જાન્યુઆરી-૨૦૨૫ ના રોજ મુળી તાલુકા નિવૃત કર્મચારી મંડળની સાધારણ સભા દિલીપસિંહજી પરમાર પ્રમુખ મુળી તાલુકા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ સ્થાને યોજાઈ હતી. જેમાં ૭૦ વર્ષથી ઉપરના વયના પેન્શનરોનું સ્વાગત રાજ્ય હોદ્દેદારોમાં ચંદ્રસિંહજી ઝાલા ભુપતસિંહજી વાળા હરિતસિંહજી જાડેજા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મંડળના પ્રમુખ અને મંત્રીઓ હાજર રહેતા સન્માન કરેલ અને અતિથિ વિશેષમાં પ્રવચન આપેલ વક્તાઓમા નરેશભાઈ એમ ઠાકર - ચોટીલા, નરેન્દ્ર સિંહ યુ ઝાલા લીંમડી, નરેન્દ્રભાઈ વિઠલાણી રાજકોટ, ભૂપતસિંહ જે વાળા, હારીજ સિંહ જી જાડેજા, ચંદ્રસિંહજી કે ઝાલા, કરમણભાઈ સગર - પાટડી, કેવી રાવલ - ધાંગધ્રા તેમજ વઢવાણથી પૂર્વ પ્રમુખ ખંધારભાઈ મહેશભાઈ જોશી તેમજ ડોડીયા મહેમાનઓનું પ્રવચનમાં પેન્શનરોને લગતા પ્રશ્નો અંગે નિરાકરણ અંગે વિસ્તૃત માહિતી આપેલ હતુ.આ કાર્યક્રમને સફળ બનાવવા સભ્યોનું સન્માન તેમજ કાર્યક્રમને અંતે પ્રમુખ મુળી તાલુકા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ દિલીપસિંહ પરમારે આભાર વ્યક્ત કરેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાઈલાલભાઈ ડી નિમાવત કારોબારી સભ્ય મૂડી તાલુકા નિમણૂક કમિટી મંડળમાંથી કરેલ કાર્યક્રમને સફળ બનાવેલ પ્રમુખ દિલીપસિંહ જી. પરમાર તથા કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.