મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં CREDAI 'પ્રોપર્ટી શો GUJCON' નું ઉદ્ઘાટન કર્યું

0
મુખ્યમંત્રીશ્રી...
- "સૌના સાથ સૌના વિકાસ" મંત્રને અનુસરીને જનતાની દરેક સમસ્યા- ગુચવણના ઉકેલ લાવવા છે
- રાજ્યના બિલ્ડર્સ, રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો એ ‘વિકસિત ભારત’ના નિર્માણમાં અગ્રણી સહયોગીઓ
- જંત્રી સંલગ્ન તેમજ FSI માં છૂટ સહિતના તમામ રાહત-લાભ છેક છેવાડાના માનવી- મકાન ખરીદનાર સુધી પહોંચે
 
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ શ્રી હર્ષ સંઘવી.
- મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વહીવટી તંત્ર, ડેવલોપર્સ અને મકાન ખરીદદારો એમ બધાના હિત સચવાય તેવી નીતિરીતિ  
- અમદાવાદ મેગા ઇન્ટરનેશનલ સીટી બની રહ્યું છે, વિવિધ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે ત્યારે મોટા પ્રોજેક્ટ્સ અને નિર્માણ કાર્યની જરૂર સતત પડશે
 મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આપેલા મંત્ર "સૌના સાથ સૌના વિકાસ"ને અનુસરીને જનતાની દરેક સમસ્યા- ગુચવણનો ઉકેલ લાવવા છે. રાજ્યના બિલ્ડર્સ, રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો એ ‘વિકસિત ભારત’ના નિર્માણમાં અગ્રણી સહયોગીઓ છે ત્યારે તેમની દરેક સમસ્યા રજૂઆતો બાબતે પરામર્શ કરવા સરકાર સક્રિય છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા આયોજિત 'પ્રોપર્ટી શો GUJCON' નું ઉદ્ઘાટન કર્યું હતું.  
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, એફોર્ડેબલ હાઉસિંગની ડેફીનેશન- કોન્સેપ્ટને રિવાઇઝ કરવાની જરૂર છે. નાના મકાન 1BHK, 2BHK વધુ સંખ્યામાં કેવી રીતે બનાવી શકાય અને તે માટે ડેવલોપર્સને કઈ ફેસિલિટીની જરૂર છે, તેની ચર્ચા કરવા સરકાર તૈયાર છે. 
મુખ્યમંત્રીશ્રીએ જંત્રી સંલગ્ન તેમજ FSI માં છૂટ સહિતના તમામ રાહતના લાભ છેક છેવાડાના માનવી અર્થાત મકાન ખરીદનાર સુધી પહોંચે તેવી હિમાયત ડેવલોપર્સ સમૂહને કરી હતી. 
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં કરોડોની સંખ્યામાં એફર્ડેબલ મકાન બન્યા છે. સરકારની સાથે બિલ્ડર્સ ડેવલોપર્સ પણ જોડાય અને જન સામાન્યને પરવડે તેવી કિંમતના મકાનો વધુ ને વધુ સંખ્યામાં મળે તેવી અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
એફોર્ડેબલ હાઉસિંગના નિર્માણમાં રાજ્ય સરકાર બિલ્ડર્સ ડેવલોપર્સને શક્ય તમામ પ્રોત્સાહન અને રાહત આપવા રાજ્ય સરકારનું મન ખુલ્લું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટી.બી. મુક્ત ભારતનો નિર્ધાર કર્યો છે તેને પાર પાડવામાં મુખ્યમંત્રીશ્રી એ પોષણ કીટ વિતરણ માટે બિલ્ડર્સને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ CREDAIના ગ્રીન કવર વધારવાના પ્રયાસો, ગ્રીન બિલ્ડિંગ્સના નિર્માણ અને શાળા નવીનીકરણ પ્રકલ્પોને બિરદાવ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વહીવટી તંત્ર, ડેવલોપર્સ અને મકાન ખરીદદારો એમ બધાના હિત સચવાય તેવી નીતિરીતિ અપનાવીને સરકાર રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટરને ગ્રોથ અને ગતિ આપી રહી છે.     
મંત્રીશ્રીએ કહ્યું કે, અમદાવાદ મેગા ઇન્ટરનેશનલ સીટી બની રહ્યું છે. વિવિધ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે ત્યારે મોટા પ્રોજેક્ટ્સ અને નિર્માણ કાર્યની જરૂર સતત પડશે. 
મંત્રીશ્રીએ તકે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અમદાવાદ-ગાંધીનગર એસ. જી. હાઇવેને ડસ્ટ-ફ્રી, પ્રદૂષણ મુક્ત બનાવવાના પાયલોટ પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મંત્રીશ્રીએ CREDAIના સમાજ ઉપયોગી કાર્યો તેમજ એક્સપોના ભવ્ય આયોજનનેની પ્રશંસા પણ કરી હતી.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ CREDAIની CSR પહેલનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં CEPT યુનિવર્સિટી અને CREDAI વચ્ચે પ્લમ્બર ઇલેક્ટ્રીશન માટેના અભ્યાસક્રમ શરૂ કરવાના MOU પણ થયા હતાં. 
CREDAIના પ્રેસિડેન્ટ ધૃવ પટેલે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ગ્રીન બિલ્ડીંગના નિર્માણ માટેના ઇન્સેન્ટીવ્ઝને મુખ્યમંત્રીશ્રીએ બમણા કરી દીધા છે, તેનાથી રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગના બાંધકામને પ્રોત્સાહન મળ્યું છે. 
આ પ્રસંગે અમદાવાદ અને મેયર શ્રીમતી પ્રતિભા બહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, CREDAIના હોદ્દેદારો તથા રિયલ એસ્ટેટ સેક્ટરના અગ્રણીઓ, ઉદ્યમ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
(Source: com Gujarat)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top