પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતભરમાં વિવિધ દેશભક્તિના કાર્યક્રમો
થતાં હોય છે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસે અનોખો માહોલ જોવા મળે છે. લોકો આઝાદીની લડતમાં
ભાગ લેનારા વીર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી ધન્યવાદ કરે છે ત્યારે મુળી
તાલુકાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સુરેન્દ્રનગર
ના સહયોગથી સી.એચ.સી. મુળી ખાતે સવારે ૯-૦૦ થી ૧-૦૦ના સમય દરમિયાન 'રક્તદાન કેમ્પ' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો
મુખ્ય હેતુ વધુમાં વધુ રક્ત બોટલ એકત્ર કરી જરૂરિયાતમંદ દર્દીઓને દાન કરી જીવનદાન આપવાનો
હતો. જે અંતર્ગત હોસ્પિટલના સ્ટાફ દ્વારા રક્તદાન કરી કુલ ૬ બોટલ રક્ત એકત્ર કરવામાં
આવી હતી. તેમજ ડૉ. નિસર્ગ પટેલ, ડૉ.
દર્શન પટેલ અને ડૉ. ધ્રુવમાન ઉપસ્થિત રહ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.