વિજય સંકલ્પ રેલી યોજી થાનગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. થાનગઢના ગામ ધણી વાસુકી દાદાના દર્શન કરી મેઈન બજાર મારફતે મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સમર્થકો સાથે ઉમેદવારો મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા અને ઉમેદવાર પત્ર દાખલ કરવામાં આવ્યુ હતું.
થાનગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંકલ્પ રેલી યોજી ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યુ
January 31, 2025
0
આ તકે પ્રદેશ નેતા રાજુ કરપડાએ થાનગઢમાં ભ્રષ્ટાચાર તેમજ પાયાની સુવિધાઓ મુદ્દો ઉઠાવ્યો હતો. આ તકે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં થાનગઢની જનતા વિજય સંકલ્પ રેલી માં જોડાઈ હતી. આ તકે પૂર્વ કોર્પોરેટર ભુપતભાઈ એડવોકેટ નિરવભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Tags
Share to other apps