સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી. સંપટે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં આવેલા જુદાજુદા વિભાગો અને વોર્ડની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં કાર્યરત લેબોરેટરી, બ્લડ બેન્ક, સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ - એસ.એન.સી.યુ. ની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓની ચકાસણી કરી દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ તકે હોસ્પિટલ ખાતે આવશ્યક દવા, સર્જીકલ સાધનો, લેબોરેટરી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી તથા ખર્ચ વિશે ચર્ચા કરી હતી. હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અર્થે વધુ જરૂરી સેવાઓ માટે વિવિધ સ્થળો અને વસ્તુઓના રીપેરીંગ તથા અન્ય કામગીરી અંગે આયોજન કરવા જરૂરી સૂચનો કર્યા હતા. હોસ્પિટલના કેમ્પસમાં સ્વચ્છતા જળવાઈ રહે, બાયો મેડિકલ વેસ્ટ તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી.જી. ગોહિલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડો. ચૈતન્ય પરમાર તેમજ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના જુદાજુદા વિભાગોના ડોક્ટરશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.