જ્ઞાન સાધના, CET ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ વિતરણ કરવામાં આવ્યું
દેશભરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે અનોખો માહોલ જોવા મળે છે. લોકો આઝાદીની લડતમાં ભાગ લેનારા વીર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી ધન્યવાદ કરે છે. કેટલીક શાળાઓમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે મહાદેવગઢ પ્રાથમિક શાળામાં પણ પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગામની સૌથી વધુ અભ્યાસ કરેલી દીકરી કોમલબેન રાજેશભાઇ રામાનુજ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળામાં વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ જ્ઞાન સાધના, CET ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય કિશોરભાઈ મકવાણા તેમજ શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.