સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વે જિલ્લા કક્ષાની ઉજવણી મુળી ખાતે કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લામાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનારા વિવિધ સરકારી વિભાગોના ૩૯ જેટલા અધિકારીઓ તથા કર્મચારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાની ૧૦૮ની ટીમમાંથી સર્વશ્રેષ્ઠ કામગીરી માટે ઈ.એમ.ટી. શ્રી હસમુખભાઈ પરમાર, પાયલોટ શ્રી અરવિંદભાઈ ચૌહાણ, ખિલખિલાટ સેવાના કેપ્ટનશ્રી જસમતભાઈ મેટાલિયા, ૧૯૬૨ કરૂણા હેલ્પલાઈન તથા મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એનિમલ એમ્બ્યુલન્સના વેટરનરી ઓફિસર શ્રી વનરાજભાઈ સાકરીયાને તેમના ક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી માટે સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટરશ્રી કે. સી. સંપટ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા તથા અન્ય અગ્રણી હસ્તીઓ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.