સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના વનાળા ગામે યુવકની હત્યાની ઘટનાથી બની હતી. આ બનાવમાં વહેલી સવારે બહેનને મળવા આવેલા પ્રેમી ઉપર બંને ભાઈઓ સહિત પિતા છરી વડે તૂટી પડતા યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જયારે આ ઘટના પછી ત્રણેય હત્યારાઓ નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવ્યાં છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ચુડા તાલુકાના વનાળા ગામે પ્રેમ પ્રકરણમા હરેશ સરવૈયા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ચુડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પિતા સહિત બંને પુત્રોને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં હરેશ સરવૈયાનું મોત નીપજ્યું હતું. જેમને સામે વાળા આરોપીઓની બહેન સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. અગાઉ આ બાબતે બંને પરિવાર વચ્ચે બોલાચાલી પણ થઈ બાદમાં સમાધાન પણ થયેલું હતું.
ત્યારે વહેલી સવારે હરેશ સરવૈયા તે યુવતીને મળવા માટે ગયો તે દરમિયાન યુવતીનો ભાઈ જાગી ગયો હતો અને બન્નેને જોઈ જતાં એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં ત્રણેય બાપ દીકરાઓએ સાથે મળીને હરેશ સરવૈયાને માર માર્યો હતો. જે બાદ ચાકુ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી હરેશભાઇ અમુભાઈ સરવૈયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જોકે, ડોક્ટર દ્વારા એનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.આથી મૃતક હરેશ સરવૈયાના ભાઈ હિતેષ સરવૈયાએ ચુડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ત્રણેય આરોપીઓ જીવણભાઈ સરવૈયા, પ્રકાશભાઈ સરવૈયા, ચિરાગ સરવૈયાને પોલીસ દ્વારા ઝડપી પાડયા છે. આથી ફરીયાદ અનુસંધાને ચુડા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.