જવાહર નવોદય વિધાલયમાં ધો.૦૬ માં પ્રવેશ માટે આગામી તા.૧૮ જાન્યુઆરીએ પસંદગી પરીક્ષા યોજાશે

0
તા.૧૩ જાન્યુઆરી સુધીમાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાના રહેશે
જો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ પ્રકારની મુશ્કેલી જણાય તો, જવાહર નવોદય વિદ્યાલય, હરીપર (ધ્રાંગધ્રા) નો સંપર્ક કરી શકાશે
પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય સમિતિ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ભારત સરકાર દ્વારા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૦૬ માં પ્રવેશ માટેની પસંદગી પરીક્ષા આગામી તા. ૧૮.૦૧.૨૦૨૫ ના રોજ યોજાનાર છે.
સુરેન્દ્રનગર જિલ્લાના જે કોઈ વિદ્યાર્થીઓએ જવાહર નવોદય વિદ્યાલય સમિતિની પરીક્ષા માટે અરજી કરી હોય, તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાના રહેશે. જો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ પ્રકારની મુશ્કેલી જણાય તો, જવાહર નવોદય વિદ્યાલય, હરીપર (ધ્રાંગધ્રા) નો સંપર્ક કરી શકાશે. આ પ્રક્રિયા માટે છેલ્લી તા. ૧૩.૦૧.૨૦૨૫ છે. પરીક્ષાના દિવસો પહેલા કોઈપણ સમસ્યાના નિવારણ માટે પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, હરીપર, તા. ધ્રાંગધ્રાનો સંપર્ક કરવાનો રહેશે તેમ આચાર્યશ્રી પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયની યાદીમાં જણાવાયું છે. (માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર)

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top