તાજેતરમાં રાજ્યમાં એક સાથે ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્યમંત્રીમંડળની મંજૂરી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે તેથી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરાતા સુરેન્દ્રનગર સાથે વઢવાણના શહેરીજનોમાં હર્ષની લાગણી છવાઇ હતી પરંતુ નગરપાલિકામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ લાગતા વઢવાણ વાસીઓને વઢવાણની અસ્મિતા જોખમાઇ રહી હોય તેમ લાગી રહયુ છે. આથી વતન પ્રેમીઓ રાજુદાન ગઢવી, સતીશ ગમારા, પરેશભાઈ પરીખ, અશોક રામી, દશરથસિંહ અસવાર વઢવાણ અસ્મિતા મંચ દ્વારા આગેવાનોનો સંપર્ક શરૂ કરી દેવાયો છે. જેમાં વઢવાણ અસ્મિતા મંચ દ્વારા બીન રાજકીય સંગઠનો સાથે આ અંગે તા. ૭ જાન્યુઆરી-૨૦૨૫ને મંગળવારે સાંજે ૫-૦૦કલાકે વઢવાણ દાજીપરા ખાતે આવેલા લાલજી મહારાજની જગ્યામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યશો ભુષણમ સર્વદા વર્ધમાનમ્ સુત્ર સાથે વઢવાણનું અસ્તીત્વ જળવાય રહે તે અંગેની ચર્ચા તથા જરૂર પડે આ બાબતે આંદોલન કરવાની પણ તૈયારી હાલ દર્શાવાઈ રહી છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.