સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામજનો દ્વારા મામલતદાર કચેરીએ ખનીજ ચોરી અટકાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યારે રાવડીયાવદર ગામના મોટી સંખ્યામાં ગામ જેનો દ્વારા સેવાસદણ ખાતે દોડી આવ્યા હતા અને ધાંગધ્રા મામલતદાર ને લેખિત જણાવ્યું હતું કે ઘણા લાંબા સમય થી રાવળીયાવદર ગામ માં ખોડીયાર માતાજીના મંદિર તરફ જવાના રસ્તા ખનીજ ચોરી થતી હોય આથી ગેરકાયદેસર રેતીના વોચ પ્લાન્ટ બંધ કરાવવા માટે ગામ જેનો દ્વારા માંગ ઉઠવા પામી હતી. રાવળીયાવદર ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગામજનો ખનીજ ચોરી બંધ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી હવે સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદેસર રેતીના વોશ પ્લાન્ટ બંધ થાય છે કે નહીં એ જોવાનું રહ્યું.? ત્યારે સ્થાનિક તંત્રને લેખિતમાં જાણ કરવાથી ગેરકાયદેસર રેતીના વોશ પ્લાન્ટની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં તે જોવાનુ રહ્યું.?
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.