સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશ્નનગરને શહેરની વિવિધ સમસ્યાઓ તેમજ મહાનગર સમાવેશ કરવામાં આવેલા ગામોને પડી સમસ્યાઓ અંગે સુરેન્દ્રનગર કોગ્રેસ સમિતિ દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે કોગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકર્તા સહીતના ઉપસ્થિત રહયા હતા.
સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં તા.૨૮ જાન્યુ.રપને મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે કોગ્રેસ સમિતિ દ્વારા શહેરની સમસ્યાઓ લઇને આવેદનપત્રમાં આવ્યું હતું. આ અંગ આવેદનત્ર જણાવ્યા મુજબ કોર્પોરેશન બન્યા બાદ વઢવાણ શિયાણીપોળ, ૮૦ ફુટ રોડ, પતરાવાળી ચોક, શાક માર્કેટ,બહુચર રોડ, મહેતા માર્કેટ પાસે આવેલ મોટીમાર્કેટ સહીતના વિસ્તારના નાના મોટા શાક-ભાજીના વેચાણકર્તા, લારીવાળા, પાથરણાવાળા વેપારીઓને મુશ્કેલી પડતી હોય મહાનગરપાલિકાના ખાલી પ્લોટોમાં દબાણ કરેલ છે તે તમામ દબાણ દુર કરી તેઓને તાત્કાલિક ચોકકસ સ્થાને કાયમી વેપાર કરવા ગોઠવણી કરવામાં સહતી શહેરમાં વિસ્તારા ખડતા ઢોર માટે કાઉ હોસ્ટેલની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યાથી હોય જેથી ગણપતી ફાટસર વિસ્તારમાં ઓવરબ્રીજ માટે યોગ્ય કાર્યવાહી કરવી તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાનું ગંદુ પાણી આવતું હોય જેથી પાણીની લાઈન ચોખ્ખી કરી ગટરનું પાણી મીકસ થતું અટકાવવા આવે તેવી માંગ કરી હતી. જયારે ખેરાળી, ખમીસાણા, માળોદ, મુળચંદ, ચમારજ સહીતના ગામોને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યા છે.આથી ગામોમાં હાલે ગ્રામ પંચાયતની તમામ કામગીરી બંધ થઈ ગયેલ હોય તાત્કાલિક આ તમામ ગામડાઓના રસ્તા બનાવમાં આવે અને ટ્રાફીકની સમસ્યાને ધ્યાને લઇ કોર્પોરેશન વિસ્તારના દરેક વોર્ડમાં શાકમાર્કેટ બનાવવામાં આવે તેવી માંગ કરાઇ હતી. મહાનગરપાલિકાના સિમાંકન અર્થે દરેક પક્ષના પ્રતિનિધિને હાજર રાખી સિમાંકનની કાર્યવાહી કરવામાં આવે તેમજ પ્રમુખ આ સિમાંકન બાબતે દરેક પક્ષના પ્રતિનિધીઓને જાણ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ હતી.
કોર્પોરેશન વિસ્તારમાં અસ્વચ્છતા, ગંદકીના ઢેર પડેલ હોય, ગટરોના પાણી ઉભરાય હોય તેમજ નવા જોડાયેલા પાંચયે ગામોમાં સફાઈ, ગટર સાફ-સફાઈની વ્યવસ્થા કરવી તેમજ ભોગાવા નદીના બંને કાંઠે જે દબાણ થયેલ હોય તે દુર કરીતે બંને નદી કાંઠે શહેરીજનો મોર્નીગ વોક કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે જયારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રકચર જેવા કે, રસ્તા, પાણી, ગટરની વ્યવસ્થાથી ઘણા વર્ષોથી આ વિસ્તાર આ સેવાઓથી વંચિત હોય જેથી આ વિસ્તારમાં કામગીરી કરવા અંતમાં આવેદનત્રના રજુઆત અંતમાં જણાવાયુ છે. ત્યારે ઉલ્લેખનીય છેકે તાજેતરમાં કોર્પોરેશન વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી રોડ રસ્તા પહોળા કરી લારી ગલ્લા વાળા, શાકભાજીના વેપારી સહિત નાના વેપારીઓ, પાયણાં વાળા અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી તેઓની રજુઆત અંત આવ્યો હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. આ આવેદન સમયે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર(એડવોકેટ), અરજણભાઈ જામ, લાલાભાઈ મોદી, દેવેન્દ્ર ઠાકર, વિપુલ મકવાણા, એસ. આર. કુરેશી સહીત મહિલા કોગ્રેસના આગેવાનો કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહયા હતાં.