સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ પર છેલ્લા ૪૦ વર્ષ થી કોચ રાજેન્દ્ગસિહ ઝાલા છોટુભા દ્વારા ક્રિકેટરોને વિનામુલ્યે આપવામાં આવે છે અનેક ખેલાડીઓ તૈયાર કરવામાં આવ્યા છે.
ત્યારે કોચીંગ માટે નવી બનાવામાં આવેલ વિકેટ અને નેટનુ લોકાર્પણ પુવઁ મંત્રી આઈ.કે.જાડેજા અને નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના વરદ્હસ્તે કરવામાં આવ્યુ હતું. આ યોજાયેલ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ નીશાન્તભાઈ પ્રજાપતી, રમેશભાઈ પ્રજાપતી, મનોહરસિહ રાણા, ચંદુભાઈ ઠાકર, છોટુભા ઝાલા, યોગરાજસિંહ ઝાલા સહીત મોટી સંખ્યામાં આગેવાનો ખેલાડીઓ અને શહેરીજનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પૂર્વ મંત્રી આઈ. કે જાડેજાએ જણાવ્યું કે છોટુભા ઝાલાની મેહનત અને ધગશ દ્વારા ગ્રાઉન્ડ અને ખેલાડીઓ તૈયાર થયા અને ધ્રાંગધ્રાનુ ક્રિકેટ જીવીત રહ્યુ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લતીફભાઈ વ્યાસ. મહેન્દ્રભાઈ પરમાર. દુષ્યંતભાઈ દંગી રોહિતભાઈ મીઠાપરા. મુકેશભાઈ કલોત્રા અને ઝાલાવાડ ગ્રાઉન્ડ ભારે જહેમત ઉઠાવી હતી. (સલીમ ઘાંચી ધ્રાંગધ્રા)