ગુજરાત અસામાજીક પ્રવૃતિ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮૫ માં સુધારા કરી નવા એમેન્ડમેન્ટ બહાર પાડવામાં આવેલ. જે અન્વયે અશોકકુમાર યાદવ, IPS પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ, રાજકોટ નાઓની સુચના મુજબ ડૉ.શ્રી ગીરીશ પંડયા સાહેબ IPS નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગર તથા જીલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગર ધ્વારા સમગ્ર જીલ્લામાં આમ જનતાની કિંમતી જમીનો પર ગેરકાયદેસર કબજો કરી ખંડણી ઉધરાવવા. અપહરણ તથા લુંટ મારામારી, હથિયાર ધારા, દારૂ, જુગાર, મિલ્કત સબંધી ગુન્હા તેમજ અન્ય ગુન્હાહિત અસામાજીક પ્રવૃતિ કરી જાહેર વ્યવસ્થાને બાધકરૂપ પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમને સખત હાથે ડામી દેવા માટે સરકારશ્રીના નવા એમેન્ડમેન્ટ મુજબ પાસા જેવા કડક પગલાઓ લેવા સુચના કરેલ. જે અન્વયે સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર જે. જે. જાડેજા નાઓએ એલ.સી.બી. સ્ટાફને આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તડીપાર દરખાસ્તો તૈયાર કરવા સુચના કરતા દસાડા પો.સ્ટે. વિસ્તારમાં ગેરકાયદેસર જુગાર ધારાની ગુન્હાહિત અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમ રાજદિપસિંહ ભાથીભા ઝાલા ઉ.વ.રર ધંધો. ખેતી રહે,ઝીંઝુવાડા તા.પાટડી-દસાડા જી.સુરેન્દ્રનગર વાળા વિરૂધ્ધ દસાડા પો.સ્ટે. ધ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુરેન્દ્રનગરનાઓ તરફ મોકલતા આ કામના સામાવાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરતા આ કામનાં સામાવાળાને એલ.સી.બી. પોલીસની ટીમ દ્વારા પકડી પાડી અટકાયતમાં લઇ પાસા વોરન્ટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરેલ છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.