સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકામાં પાણી પુરવઠા સુધારણા યોજના અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેતાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ થાનગઢ તાલુકામાં પાણી પુરવઠા સુધારણા યોજના અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
આ તકે મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થાનગઢ શહેર ખાતે ૧૮.૭૧ કરોડનાં ખર્ચે નિર્મિત ૯.૦૦ એમ.એલ.ડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું હતું. તદુપરાંત પાણી પુરવઠા સુધારણા યોજના અન્વયે થયેલી કામગીરી અને પ્રગતિ હેઠળનાં કામોની વિગતો સંબધિત અધિકારીઓ પાસેથી મેળવી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન ચોટીલા આસિસ્ટન્ટ કલેકટરશ્રી કલ્પેશકુમાર શર્મા, થાનગઢ મામલતદારશ્રી, પાણી પુરવઠા સહિત સંબંધિત તમામ વિભાગનાં અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.