સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા મેળાના મેદાનમાં કોર્પોરેશન દ્વારા ગે.કા. દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મેદાનમાં ઘાસચારો વૈચતા વાડાઓ, લારી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્ય માર્ગો પર લારી ગલ્લા સહિતના દૂર કરી કોર્પોરેશન દ્વારા ફરી દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી. શહેરની મધ્યમાં આવેલ મેદાનમાં ઘાસચારો વેચતા વાડાઓ અને લારી ગલ્લાના દબાણો ફરી થતાં આ દબાણો તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૫ને સોમવારના રોજ પોલીસ તંત્રને સાથે રાખી કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરી મેળાનું મેદાન ખાલી કરાવતા તંત્ર નજરે પડયુ હતું.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.