ભાવનગરમા મધ્યપ્રદેશથી ભૂલા પડેલ મહિલાનું દીકરા સાથે મિલન કરાવતુ સખી" વન સ્ટોપ સેન્ટર

0
મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત 'સખી' વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાઓ પર થતી હિંસાના કારણે સમાજમાં મહિલાઓના જીવનધોરણ, વિકાસ, નિર્ણયશક્તિ વગેરેને કારણે મહિલાઓ હિંસાનો ભોગ બને છે. આવી પીડિત અને શોષિત મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે તેમજ મહિલા સ્વમાનભેર જીવી શકે અને આત્મનિર્ભર બની પોતાને મળતા હકોથી વાકેફ થાય પોતાને મળતા કાયદાકીય કવચથી અવગત થાય અને તેને ન્યાય માટે જુદા-જુદા સ્થળે ભટકવું ન પડે અને તેને એક જ સ્થળે તમામ પ્રકારની સહાય જેવી કે કાયદાકીય સહાય, તબીબી સહાય, આશ્રય, પોલીસ સહાય, કાઉન્સેલિંગ તેમજ માર્ગદર્શન મળી રહે તે માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર યોજના શરુ કરવામાં આવેલ છે.
હાલ ભાવનગર જીલ્લામાં વન સ્ટોપ સેન્ટર જેલ ગ્રાઉન્ડ પાછળ, શ્યામલ ફ્લેટ, વિદ્યાનગર ખાતે ૨૪X૭ કલાક કાર્યરત છે.
તા.૧૭/૦૧/૨૦૨૫ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા ભંડારીયા ગામથી ભુલા પડેલ એક મહિલાને વન સ્ટોપ સેન્ટર પર મુકવામાં આવેલ હતા. તેથી મહિલાને આશ્રય આપી કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે પોતે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના સર્તાલા ગામના વતની છે. ચાર બાળકો છે અને તેમના પતિ પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામેલા છે મહિલાના જણાવ્યા અનુસાર આજથી ૨૦ દિવસ પહેલા તેઓ તેમની દીકરીના ઘરે જવા નીકળેલા પરંતુ પોતાને કાંઈ યાદ ન હોય અને માનસિક સ્થિતિ થોડી નબળી હોવાથી બસ મારફતે જૂનાગઢ, લીંબડી અને ધંધુકા વગેરે જગ્યાએ બસ સ્ટેશન પર રોકાયેલા અને ત્યારબાદ ત્યાંથી ટ્રેન મારફતે ભાવનગર પહોંચી ગયેલા જ્યાં કોઈ જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઈનને જાણ કરી મહીલાને ૧૮૧- અભયમ મહિલા હેલ્પ લાઇનને સોંપેલ અને ૧૮૧- અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર-ભાવનગર પર મુકવામાં આવેલ હતા.
વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાનું નામ, સરનામું અને ફોટો સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ અલીરાજપુર (મધ્યપ્રદેશ) સખી વન સ્ટોપ સેન્ટર પર મોકલી મહિલાના પરિવારનો કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરેલ હતો. ત્યાંના કર્મચારી દ્વારા મહિલાએ જણાવેલ વિગત પર તપાસ કરતા વિગત સાચી હોય તેથી ત્યાંના કર્મચારી દ્વારા મહિલાના દીકરા તમેજ જમાઈનો કોન્ટેક્ટ નંબર મેળવી આપેલ તેથી તેમની સાથે ટેલીફોનીક વાત કરી વિડીયો કોલ કરાવી મહિલા પોતે તેમના દીકરા તેમજ જમાઈને ઓળખે છે કે નહીં તે ખરાઈ કરતા મહિલા પોતે તેમના દીકરા તેમજ જમાઈને ઓળખે છે તેવું જણાવતા હોય જેથી મહિલાના દીકરા તેમજ જમાઈને મધ્યપ્રદેશથી ભાવનગર બોલાવી જરુરી સાધિનક કાગળો મેળવી મહિલાને તેમના દીકરા તેમજ જમાઈને સોંપેલ ૨૦ દિવસ બાદ માતા સાથે મિલન થતા દીકરાએ સખી વન સ્ટોપ સેન્ટર આભાર વ્યક્ત કરેલ હતો
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top