શ્રેયસ કેળવણી મંડળના પ્રમુખ વરમોરાના વરદ્હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ સહિત શાળાના વિદ્યાર્થી દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યા
દેશભરમાં ૭૬પ્રજાસત્તાક દિન નિમિત્તે અનોખો માહોલ જોવા મળે છે. આ દિવસે આઝાદીની લડતમાં ભાગ લેનારા વીર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી ધન્યવાદ આપવામાં આવે છે. ઉપરાંત કેટલીક શાળાઓમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાની શ્રી માઘ્યમિક અને ઉરચતર માઘ્યમિક શાળા સરા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.શ્રેયસ કેળવણી મંડળના પ્રમુખ અનિલભાઈ વરમોરાના વરદ્હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સરા ગામની પ્રાથમિક શાળાઓ તેમજ માઘ્યમિક અને ઉરચતર માઘ્યમિક શાળાના વિદ્યાર્થી દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ થયા હતા. કાર્યક્રમ દરમિયાન મૂળી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, સરપંચ પ્રવીણભાઈ, તમામ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અને માઘ્યમિક અને ઉરચતર માઘ્યમિક શાળા સરાના આચાર્ય કમલેશભાઈ કુણપરા અને અગ્રણી નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સુંદર સંચાલન અક્ષા માડકિયા દ્વારા કરવામાં આવ્યું હતું.