પદ્મશ્રી મેળવનાર લવજી પરમાર સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. ટાંગલિયા વણાટ ટેક્નિકને જાળવી રાખી છે. જે બદલ તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેર લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ડાંગાસિયા સમુદાયના વણકર સમાજની ૭૦૦ વર્ષ જૂની ટાંગલીયા કળાને ટકાવી રાખવા બદલ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવતા લવજીભાઈ પરમારના નામની જાહેરાત થતાં પરિવારમાં હર્ષ છવાયો હતો.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે ૪૦ વર્ષ આ હાથ વણાટની ટાંગલીયા કળા દ્વારા નવી નવી આઈટમો બનાવી છે જ્યારે શાલ બનાવી તેમાં પણ તેમને ૧૯૯૦મા નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ ૨૦૧૯મા તેમણે સાડી બનાવી હતી. ટાંગલીયા કળા શાલ, સિલ્ક સાડી, કોટનમાં ડ્રેસ મટીરીયલ, દુપટ્ટા સહિત ઘણા લોકો ખરીદી રહ્યા છે. ત્યારે લુપ્ત થતી આ ટાંગલીયા કળાને લવજીભાઈ ૧૫૦ લોકોને શિખવાડી રોજગારી મળવવા સહિત ૭૦૦ વર્ષની ટાંગલીયા કળાને જીવંત રાખી રહ્યા છે. જેની નોંધ હવે સરકારે લેતા તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે.