સુરેન્દ્રનગરમાં ગ્રાહક બાબતોના વિભાગનાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ઉજવાયો રાજ્યકક્ષાનો "રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ-૨૦૨૪"

0


ગ્રાહકો પોતાના હકો - અધિકારો પ્રત્યે જાગૃત થાય, ગ્રાહક સુરક્ષા અધિનિયમ તેમજ ગ્રાહકોને લગતા તમામ કાયદાઓથી અવગત થાય તે જરૂરી

જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે "રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન-૨૦૨૪"ની રાજ્ય કક્ષાની ઉજવણી યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી પાછળનું મહત્વ સમજાવતા વધુમાં જણાવ્યું હતું કે, માણસ જાગે ત્યારથી જ ગ્રાહક બની જાય છે. વસ્તુની ખરીદી કરતી વખતે પેકિંગ ઉપર વજન, ભાવ, પેકિંગ તારીખ, ગુણવત્તા જોઈને ખરીદી કરી તેવા નાગરિકો ભાગ્યે જ જોવા મળે છે. જાગૃતતાના અભાવે ગ્રાહક પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી શકતો નથી પરિણામે છેતરાય છે. ગ્રાહકોને જાગૃત કરવા માટે ગ્રાહક જાગૃતિ મંડળો દ્વારા અવારનવાર જન જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. તેમ છતાં જો કોઈ નાગરિક છેતરપિંડીનો ભોગ બને તો રાજય સરકાર દ્વારા કાર્યરત ગ્રાહક હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે. 


CAPU યુનિટમાં બે મહિનાના ટ્રાયલ દરમિયાન ૬૫૬૩ જેટલી ફરિયાદો નોંધાય, ગ્રાહક હેલ્પલાઇન નંબર ઉપર વર્ષ ૨૦૨૩-૨૪ માં ૮૨૦૦ જેટલી ફરિયાદોનું ગ્રાહકોના હિતમાં નિરાકરણ લવાયું



વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે, છેવાડાના માનવી સુધી જન ઉપયોગી તમામ જાણકારી, કલ્યાણકારી યોજનાઓ પહોંચે. આથી તમામ નાગરિકો ગ્રાહક સુરક્ષા અધિનિયમ તેમજ ગ્રાહકોને લગતા તમામ કાયદાઓથી અવગત થાય તે જરૂરી છે. ગ્રાહકો પોતાના હકો - અધિકારો પ્રત્યે જાગૃત થાય તે જરૂરી છે. કાનૂની જોગવાઈઓના આધારે ગ્રાહકોના હકોનું રક્ષણ થાય છે. આજનાં ડિજિટલ યુગમાં ગ્રાહકોને તેમના અધિકારો પ્રત્યે યોગ્ય ન્યાય આપી શકાય તે માટે સી.એ.પી.યુ. નું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં એડવાન્સ સોફ્ટવેરની મદદથી ફરિયાદ કરનાર ગ્રાહકો તેની ફરિયાદ ક્યાં અધિકારી જોઈ રહ્યા છે?, ફરિયાદની સ્થિતિ પણ ઓનલાઈન જાણી શકશે. આ યુનિટમાં બે મહિનાના ટ્રાયલ દરમિયાન ૬૫૬૩ જેટલી ફરિયાદો નોંધાય હતી. ગ્રાહક હેલ્પલાઇન નંબર ઉપર વર્ષ ૨૦૨૩-૨૪ માં ૮૨૦૦ જેટલી ફરિયાદોનું ગ્રાહકોના હિતમાં નિરાકરણ લેવાયું છે. 



મહાનુભાવોના હસ્તે ગ્રાહક જાગૃતિ કેલેન્ડર અને બુક્લેટનું વિમોચન કરાયું

આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોના હિતોનું સાચું રક્ષણ થાય અને ગ્રાહકોને તેમનાં અધિકાર અંગે જાગૃત કરવામાં આવે તે માટે ગ્રાહક સુરક્ષા ધારા અન્‍વયે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને રાજય કમિશનની રચના કરવામાં આવી છે. કન્‍ઝયુમર હેલ્‍૫લાઈન થકી ગ્રાહકો તાત્‍કાલિક માર્ગદર્શન મેળવી શકે છે. સ્‍થાનિક કક્ષાએ ગ્રાહકોને માર્ગદર્શન, સલાહ સૂચન આ૫વા માટે ગ્રાહક સુરક્ષા મંડળો પણ ખુબ જ અગત્‍યની ભૂમિકા ભજવે છે. આ તમામ પ્રવૃતિઓ માટે પ્રોત્‍સાહન સ્‍વરૂપે રાજય સરકાર ગ્રાહક સુરક્ષા મંડળોને નાણાકીય મદદ ૫ણ કરે છે.

સૌની યોજના વિશેની માહિતી આપતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈની સુવિધામાં વધારો કરવા માટે રૂ.૧૨૫૦ કરોડના ખર્ચે સૌની યોજના અને પાણી પુરવઠા વિભાગના વિવિધ કામોનું ખાતમુહૂર્ત આગામી સમયમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે “Virtual Hearing & Digital Access to Consumer Justice”ની થીમ સાથે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ગ્રાહક જાગૃતિ કેલેન્ડર અને બુક્લેટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂ.૫૦ લાખના ખર્ચે ગુજરાત રાજ્ય ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન ૧૮૦૦ ૨૩૩ ૦૨૨૨/ ૧૪૪૩૭ માટે Consumer Awareness and Protection Unitનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુશ્રી જીજ્ઞાબેન પંડ્યા, જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના, નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન નિયામક શ્રી આર.આર.ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી એ.જી.ગજ્જર, ગ્રાહક સુરક્ષા નાયબ નિયામક સુશ્રી રુચિ પટેલ, ગ્રાહક તકરાર નિવારણ આયોગ પ્રમુખ સુશ્રી એ.પી.કંસારા, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, અગ્રણી સર્વે શ્રી નિલેશ શેઠ, વૈભવ ચોકસી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top