ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની ૬૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ:બેંકે ઇન્કમટેક્સ તથા જરૂરી પ્રોવિઝનો બાદ કરતા રૂ.૧૦ કરોડથી વધારેનો ચોખ્ખો નફો

0
સુરેન્દ્રનગર શહેરના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની ૬૭મી વાર્ષિક સાધારણ સભા અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ અંતર્ગત સહકારી મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, બેંકના ડાયરેક્ટર સર્વે સહિત સુરસાગર ડેરીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રેષ્ઠ મંડળી, શ્રેષ્ઠ શાખાને સન્માનિત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા બે લાખનું અકસ્માત વીમા કવચ પણ આપવામાં આવ્યું હતું. 
સહકારી ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ સહકાર મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહે અનેક મહત્વપૂર્ણ પહેલો શરૂ કરી “સહકારથી સમૃદ્ધિ”ના મંત્રને સાર્થક કરવાના પ્રયાસો કર્યા છે.  
વધુમાં બેંક સાથે સંકળાયેલા ખેડૂતો અને મંડળીઓની ખેતી વિષયક ધિરાણની જરૂરિયાતની પહોંચી વળવા માટે બેંકની થાપણ વધારવાની જરૂરિયાત છે. આથી ઉપસ્થિત સર્વેને બેંકની થાપણમાં વધારો કરવા માટે અપીલ કરી હતી. 
બેંકે ઇન્કમટેક્સ તથા જરૂરી પ્રોવિઝનો બાદ કરતા રૂ.૧૦ કરોડથી વધારેનો ચોખ્ખો નફો કર્યો:વર્ષ ૨૦૨૪-૨૫માં બેંકના માન્ય સભાસદોને બેંકના શેર પર ૧૦% મુજબ ડિવિડન્ડ વહેંચણી કરાશે:ચેરમેન હરદેવસિંહ પરમાર
ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ના ચેરમેન હરદેવસિંહ પરમારે જણાવ્યું કે, વર્ષ ૨૦૦૯માં બેંક જ્યારે ૭૨ કરોડની ખોટ કરતી હતી એવા સમયમાં આ બેંકનું સુકાન સંભાળ્યું હતું. બેંકે ઇન્કમટેક્સ તથા જરૂરી પ્રોવિઝનો બાદ કરતા રૂ.૧૦ કરોડથી વધારેનો ચોખ્ખો નફો કર્યો છે. બેંકના હાલના ગ્રોસ એન.પી.એ.ના ૮૫ ટકા કે.સી.સી. ધિરાણનું એન.પી.એ. છે. આથી જો મંડળી સધ્ધર થશે તો બેંક પણ સધ્ધર બનશે. બેંકમાંથી કે.સી.સી. ધિરાણ મેળવતા ખેડૂતોને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા બે લાખનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. વર્ષ દરમિયાન અકસ્માતના કુલ આઠ ક્લેમ વીમા કંપની દ્વારા મંજૂર કરી રૂ.૧૬ લાખ સભાસદના વારસદારોને ચૂકવવામાં આવ્યા છે. 
ડિવિડન્ડ અંગેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આર.બી.આઈ.ની ગાઈડલાઈન મુજબ સતત બે વર્ષ સુધી નેટ એન.પી.એ. 5% થી ઓછું હોય તો જ ડિવિડન્ડ આપી શકાય છે. વર્ષ ૨૦૨૪-૨૫માં બેંકના માન્ય સભાસદોને બેંકના શેર પર ૧૦% મુજબ ડિવિડન્ડ વહેંચણી કરાશે અને સભાસદોને ભેટ પણ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં સુરસાગર ડેરી ચેરમેન નરેશભાઈ મારુ, બેંકના ઉપપ્રમુખ વાલજીભાઈ પટેલ, અગ્રણી સર્વે જયેશભાઈ પટેલ, બેંકના ડાયરેક્ટર સર્વે હરપાલસિંહ રાણા, વાજસૂરભાઈ આહીર, મૌલેશ પરીખ, કનુભાઈ વણોલ, પ્રવીણભાઈ ચૌહાણ, ભગવાનભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top