થાનગઢ તાલુકાની લાખામાંચી પ્રા.શાળા-૧ માં વીર બાલ દિવસની ઉજવણી
December 26, 2024
0
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની લાખામાંચી પ્રા.શાળા-૧ માં તા.૨૬ ડીસેમ્બર-૨૪ના રોજ વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વીર બાલ દિવસ શીખોના દસમાં ગુરુ ગોવિંદસિંહના પુત્રો જોરાવરસિંહ તેમજ ફતેસિંહને તેમની બહાદુરી અને બલિદાનના સન્માન માટે મનાવવામાં આવે છે. વીર બાલ દિવસ નિમિત્તે લાખામાંચી પ્રા. શાળા -૧ માં શાળાના બાળકો દ્વારા ગુરુ ગોવિંદસિંહના ચારેય બાળકોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
તેમજ તેમનું જીવન દર્શન ટીવી પર બતાવીને તેમના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
Tags
Share to other apps