રામપરામાં દિકરીને ભગાડી જવા બાબતનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ હુમલો કર્યો

0
ધ્રાંગધ્રાના રામપરામા સગાની દીકરીને ભગાડી જવા બાબતે ત્રણ શખ્સોએ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામે રહેતા વનરાજ ભાઈ દેવરાજભાઈ ભત્રીજાએ અગાઉ યુવતીને ભગાડી ગયો હતો આથી તે અંગેનું મનદુઃખ રાખી મહેશભાઈ રામજીભાઈ, દેવજીભાઈ રામજીભાઈ રહે બન્ને થાનગઢ તથા મેહુલ રસિકભાઈ સરવૈયા રહે સુંદરીભવાની વાળાએ વનરાજભાઈના ઘરે આવી ગાળો બોલી, લાકડીના ધોકા વડે હુમલો કર્યો હતો. આથી હુમલામાં વનરાજભાઈના હાથ, શરીરના ભાગે ઈજા થતા મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય શખ્સો નાશી છુટયા હતા. આથી ઈજાગ્રસ્ત વનરાજભાઈને તાત્કાલિક સારવાર અર્થે સુરેનદ્રનગર હોસ્પિટલ ખસેડમાં આવ્યા હતા. ત્યારે આ અંગેની ત્રણેય શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ભરતભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top