રાજ્યમાં હાલ ઠંડીનો પારો વધીની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા દિવસથી સતત ઠંડીમા વધતા વર્તાયી રહ્યો છે ત્યારે સખત ઠંડા સુસવાટા સાથે દિવસ ભર પવન ફુંકાતા રહે છે.! ત્યારે ઠંડા સુસવાટા પરોઢીયે વધારે રહેતા હોય તેવામાં બાળકોને સ્કૂલનો સમય વહેલી સવારે શાળાએ જવું પડે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે કુલ ૨૮૯થી વધુ શાળા સવારની પાળીમાં અંદાજે ૫૦ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણ સમિતિ બીઆરસી ભવન દ્વારા વિદ્યાર્થીઓ, ટીચિગ સહીત નોન ટીચિગ સ્ટાફને ઠંડીથી રાહત મળે તેમાટે નિર્ણય લેવાયો હતો. ત્યારે શાળાનો બદલાયેલો 28 ફેબ્રુઆરી સુધી રહેશે. ઠંડીની સિઝનને ધ્યાને લઇ દરેક માધ્યમિક શાળાઓમાં પણ જે સવારની છે ત્યાં શાળાનો સમય સવારે 8 કલાકથી વહેલો ન રાખવા સૂચના આપવામાં આવી છે.